કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા માં થરા તેમજ તાણામાં જે લોકો કોરોનાની મહામારીમાં મૃત્યુ પામ્યા છે.
તેઆેના સદ³ગતના દિવ્યાત્માને શાંતિ અને મોક્ષ મળે તે માટે બહુચર માઈ મંડળ થરાના પ્રમુખ નિરંજનભાઈ જે.સોની, રીકુબેન ઠક્કર, અલકાબેન ઠક્કર, તબલા વાદક મહેશભાઈ જોષી વગેરેના મુખારિવદે સુંદરકાડ પાઠનું પઠન કરવામાં આવ્યું હતુ.
જેમાં વહેપારી અગ્રણી કિરીટભાઈ એ.ઠક્કર, કનુભાઈ પ્રજાપતિ, , સાહિત્યકાર દીપકભાઈ જોષી, રઘુભાઈ પ્રજાપતિ, પક્ષીપ્રેમી હરિભાઈ જોષી, સહિતના લોકો ઉપિસ્થત રહી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.