સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારી સામે લડી રહયું છે ત્યારે ગુજરાત પણ કોરોનાની મહામારીથી બાકાત રહયું નથી તેવા સમયમાં દરેક લોકોના ધંધા રોજગાર ઘણા સમયથી બંધ હોવાથી લોકોને આર્થિક નુકશાનનો સામનો કરવો પડી રહયો છે.
હજુપણ તેની અસર આવનારા ઘણા સમય સુધી અકબંધ રહેવાની છે ત્યારે કોરોનાના કપરા કાળમાં એલ.એલ.એમ.ના વિધાર્થીઓની દિવતીય સત્રની કોલેજ ફી માફ કરવા આજરોજ યુનિવર્સીટીના ના કુલપતિને આવેદપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કોલેજનું શૈક્ષાણિક કાર્ય બંધ હોવાથી કોલેજને આવતું લાઈટબીલ- ટ્રાન્સપોટેશન ખર્ચ- મેન્ટેનન્સ ખર્ચ સહિત બીજા અન્ય ખર્ચાઓની જે તે સંસ્થાઓને બચત થવા પામી છે ત્યારે વિધાર્થીઓની દિવતીય સત્રની ફી સેવાભાવથી માફ કરવા આવેદનપત્રમાં વિનંતી કરવામાં આવી હતી.
- વસ્ત્રાલ દાદાગીરી કેસ: વધુ એક આરોપીની ધરપકડ, મુખ્ય આરોપી હજુ પણ ફરાર
- સુરેન્દ્રનગરમાં ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર બે લોકોની ધરપકડ, હિન્દુ દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ
આ પ્રસંગે આવેદનપત્ર આપવા આવેલા એલએલએમના વિધાર્થીઓએ દિવતીય સત્રની કોલેજ ફી માફ કરવા યુનિવર્સીટી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.