સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીએ માવઠાથી થયેલા નુકસાનમાં ખેડૂતોને સહાય કરવા સરકારમાં રજૂઆત કરી
પાટણ સહિત જિલ્લામાં અચાનક બદલાયેલા હવામાનને પગલે કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરના કારણે ખેતરોમાં ઊભેલા પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે ત્યારે સરકાર દ્વારા માવઠાથી થયેલ પાક નુકસાન બાબતે ઝડપથી સર્વે કરાવી ખેડૂતને યોગ્ય પાક વળતર ચૂકવવામાં આવે તે માટે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર (Chandanji Thakor)દ્વારા સરકારમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
ચંદનજીએ જણાવ્યું હતું કે તાજેતરના કમોસમી માવઠાથી ચાલુ સિઝનમાં ખેડૂતોના ઉભા પાકને તેમજ કાપણી કરેલ પાકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. વાવાઝોડાના કારણે કાપણી કરેલ તથા ઉભા પાકો જેવા કે ઘઉં, વરિયાળી, જીરું, એરંડા વગેરેને મોટા પાયે નુકસાન થયેલ છે. તે ઉપરાંત કેટલાક ઘરોના છાપરા પણ તૂટી ગયેલ છે અને વીજળી પડવાથી પશુના મૃત્યુ પણ થયા છે.
આમ, કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલ હોય તાત્કાલિક સર્વે કરાવીને સરકાર ખેડૂતોને ઝડપથી વળતર ચૂકવે તેવી તેમણે રજૂઆત કરી હતી.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ