maavthana nuksan na vadtarni mang karta Chandanji Thakor

પાટણ સહિત જિલ્લામાં અચાનક બદલાયેલા હવામાનને પગલે કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસરના કારણે ખેતરોમાં ઊભેલા પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે ત્યારે સરકાર દ્વારા માવઠાથી થયેલ પાક નુકસાન બાબતે ઝડપથી સર્વે કરાવી ખેડૂતને યોગ્ય પાક વળતર ચૂકવવામાં આવે તે માટે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર (Chandanji Thakor)દ્વારા સરકારમાં પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

ચંદનજીએ જણાવ્યું હતું કે તાજેતરના કમોસમી માવઠાથી ચાલુ સિઝનમાં ખેડૂતોના ઉભા પાકને તેમજ કાપણી કરેલ પાકને મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. વાવાઝોડાના કારણે કાપણી કરેલ તથા ઉભા પાકો જેવા કે ઘઉં, વરિયાળી, જીરું, એરંડા વગેરેને મોટા પાયે નુકસાન થયેલ છે. તે ઉપરાંત કેટલાક ઘરોના છાપરા પણ તૂટી ગયેલ છે અને વીજળી પડવાથી પશુના મૃત્યુ પણ થયા છે.

આમ, કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયેલ હોય તાત્કાલિક સર્વે કરાવીને સરકાર ખેડૂતોને ઝડપથી વળતર ચૂકવે તેવી તેમણે રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024