મહેસાણાના ઉનાવાથી આજે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની જન આશીર્વાદ યાત્રાનો પ્રવાસ શરૂ કર્યો હતો. જેમાં સવારે ૯.૪પ કલાકે ઉનાવા એપીએમસી થી યાત્રાનો પ્રારંભ કરી ૧૦ કલાકે ઉંઝા એપીએમસીમાં સામાજિક સંમેલનમા હાજરી આપી હતી. બાદમાં ૧૦.૪પ કલાકે ઉંઝા ઉમિયા માતાજીના મંદિરે દર્શન કર્યાં હતા.
પ્રવાસ દરમ્યાન બપોરે ૧-૦૦ કલાકે સરકીટ હાઉસ મહેસાણા ખાતે પ્રેસ કોન્ફરન્સનું પણ યોજી હતી. બાદમાં બપોરે ર કલાકે મહેસાણા ટાઉનહોલ ખાતે પુરુષોત્તમ રૂપાલાની સભા યોજીને ત્યારબાદ બેચરાજી નો પ્રવાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.