Sabarkantha

Sabarkantha

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારત બંધને લઈને મિશ્ર પ્રતિસાદ જોવો મળ્યો હતો. કોગ્રેસ કાર્યકરો તથા ખેડૂતો દ્વારા બજાર બંધ કરાવ્યું હતું. ત્યારે વિરોધ કરી રહેલ ખેડૂતો અને કોગ્રેસના 24 જેટલા કાર્યકરોની પ્રાંતિજ પોલીસે અટકાયત કરી હતી.

ખેડૂતો દ્વારા 8 ડીસેમ્બર ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવતા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ખેડૂતો તથા કોંગ્રેસ કાર્યકરો સવારે બજાર બંધ કરાવવા નિકળ્યા હતા. જેથી વેપારીઓ દ્વારા બજાર બંધ કરાયું હતું. દરમિયાન ધરતી પુત્ર અનિલ પટેલ માઇક સાથે બજાર બંધ કરાવવા નિકળ્યા હતાં. પ્રાંતિજ પોલીસ દ્વારા અનિલ પટેલ પાસેથી માઈક પડાવી લેવામાં આવ્યું હતું. જેથી કોંગ્રેસ કાર્યકરો તથા ખેડૂતોએ પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે શાકભાજી સાથે વિરોધ કર્યો હતો.

પ્રાંતિજ પોલીસ દ્વારા કોંગ્રેસ ના પ્રાંતિજ-તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ બારૈયા સહિત ખેડૂત પુત્ર અનિલ પટેલ , રેખાબેન સોલંકી , નિરૂબેન પટેલ , કોંગ્રેસ ના તાલુકા પ્રમુખ નરેન્દ્ર ભાઇ પટેલ , સહિત 24 જેટલા કાર્યકરોની અટકાયત કરી હિંમતનગર ખાતે લઇ જવામાં આવ્યા હતા. પ્રાંતિજ માર્કેટયાર્ડ ખુલ્લું જોવા મળ્યું હતું પણ એક પણ વેપારીઓ તથા ખેડૂતો માર્કેટ યાર્ડ ખાતે ફરક્યા ન હતા.

આ પણ જુઓ : ગુજરાત ભારત બંધમાં કોંગ્રેસ દ્વારા હાઈ-વે પર સળગાવ્યા ટાયર

પ્રાંતિજ ખાતે ભારત બંધ ને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો તો પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ નો પક્ષ પાત જોવા મળ્યો હતો. જેમાં કોંગ્રેસ કાર્યકરો તથા ખેડૂતો માટે સવારથી જ પોલીસ ધમપછાડા કરી રહી હતી. કોગ્રેસ અને ખેડૂતો સહિત 24 જેટલા કાર્યકરોની પ્રાંતિજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

બીજી તરફ ભાજપ ના કેટલાક કાર્યકરો બજાર ખોલાવવા માટે બજાર માં નિકળ્યા હતાં ત્યારે પ્રાંતિજ પોલીસ પ્રેક્ષક બનીને જોઇ રહી હતી ત્યારે કાયદો કયા ગયો તેવો મુદો પણ ટોપએન્ડ ટાઉન બન્યો હતો .

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024