- કોરોના ના કહેર વચ્ચે મોરબી જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે.
- ગુજરાતમાં સૌરાષ્ટ્રના મોરબીમાં છેલ્લા ત્રણ દિવસથી મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાને મ્હાત આપી રહ્યા છે.
- મુબઈથી આવેલ વૃધ્ધાને ગત તા.૨૨ ના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
- પરંતુ આ વૃદ્ધાએ કોરોનાને મ્હાત આપતાં હવે મોરબીમાં એક જ એક્ટિવ કેસ રહ્યો છે.
- વૃધ્ધાને કોરોના પોઝિટિવ આવતા ક્રિષ્ના હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
- આજે વૃધ્ધા સ્વસ્થ થતા રજા આપવમાં આવી છે.
- હોસ્પિટલના ડોકટર અને સ્ટાફે વૃધ્ધાને તાલીઓ પાડી પ્રોત્સાહન આપ્યું અને અભિનંદન પાઠવ્યા.
- સૂત્રો મુજબ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 કેસ નોંધાયા છે, જેમાંથી ત્રણ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક કેસ એક્ટિવ છે.
- ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 372 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે અને વધુ 20 દર્દીઓનાં મોત થયા છે.
- તેમજ 608 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
- રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 15944 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 980 થયો છે.
- ગઈ કાલે નવા નોંધાયેલ કેસો આ પ્રમાણે છે.
- અમદાવાદ -253 કેસ ,
- સુરત -45કેસ ,
- વડોદરા- 34કેસ ,
- ગાંધીનગર- 8કેસ ,
- મહેસાણા- 7કેસ ,
- છોટા ઉદેપુર- 7કેસ ,
- ક્ચ્છ -4કેસ ,
- નવસારી -2કેસ ,
- તથા બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્ય 1-1 કેસ નોંધાયા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News