Rishi Kapoor

કેન્સર સામેની લાંબી લડાઈ લડ્યા બાદ ઋષિ કપૂરે (Rishi Kapoor) ગયા વર્ષે 30 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા. 5મી સપ્ટેમ્બરે ઋષિ કપૂરની 69મી જન્મતિથિ મનાવવામાં આવી હતી. પત્ની નીતુ કપૂરે આ માટે ઘરે નાનકડી પાર્ટી યોજી હતી. જેમાં તેમણે દિવંગત એક્ટરના નજીકના મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ઋષિ કપૂરે 1980માં નીતુ કપૂર સાથે લગ્ન કર્યા હતા. દંપતીને બે બાળકો છે, જેમાં રણબીર કપૂર અને દીકરી રિદ્ધિમા કપૂર સહાનીનો સમાવેશ થાય છે. રણબીર કપૂર હાલ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે, જ્યારે રિદ્ધિમાએ બિઝનેસમેન ભરત સહાની સાથે લગ્ન કર્યા છે અને તેને એક દીકરી પણ છે.

નીતુ કપૂરે ઋષિ કપૂરની ઈચ્છાઓ વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘તેઓ રણબીર લગ્નના દિવસે પેશાવરી પરંપરા સાથે બ્રોચવાળી પાઘડી પહેરે અને ઘોડી પર બેસે તેવુ ઈચ્છતા હતા. તેઓ આ બાબતને લઈને ઈમોશનલ હતા. તેઓ કહેતા રહેતા હતા કે-કોઈ દિવસ મારે મારા દીકરાને ઘોડી પર ચડવો જોવો છે’

નીતુ કપૂરે બીજી ઈચ્છા વિશે વાત કરતાં કહ્યું હતું કે, ઋષિ કપૂર તેમના કૃષ્ણા રાજ હાઉસ રિનોવેટ કરાવવા અને તેને ખતમ કરાવવા માગતા હતા અને તેમાં રિદ્ધિમા, રણબીર અને ઋષિ-નીતુ માટે અલગ એપાર્ટમેન્ટ હોય તેમ ઈચ્છતા હતા. એક્ટ્રેસે તેમ પણ ઉમેર્યું હતું કે, તેઓ નિયમિત સાઈટની મુલાકાત લેતા હતા અને નાની-નાની બાબતોનું ધ્યાન રાખતા હતા.

ઋષિ કપૂર કેન્સરની સારવાર માટે એક વર્ષ કરતા વધુ સમય માટે ન્યૂયોર્કમાં રહ્યા હતા. આ દરમિયાન નીતુ કપૂર સતત તેમની સાથે રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024