પાટણ અને રાધનપુર શહેરમાં રાત્રિ કર્ફ્યુની અવધિમાં આ તારીખ સુધીનો વધારો.

પોસ્ટ કેવી લાગી?

જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા વિવિધ નિયંત્રણો અને સુચનાઓ દર્શાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

રાજ્યમાં COVID-19 ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના હુકમથી રાજ્યના ૩૬ શહેરોમાં તા.૦૪.૦૬.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાક સુધી રાત્રિ કર્ફ્યુ તથા કેટલાક નિયંત્રણો અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવેલ. જેમાં પાટણ જિલ્લાના પાટણ શહેર તથા રાધનપુર શહેરનો સમાવેશ થાય છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ધટાડો નોંધાયેલ છે. જેથી પ્રવર્તમાન પરિસ્થિતિની પુન: સમીક્ષા કરી તા.૨૭.૦૫.૨૦૨૧ના હુકમથી મુકવામાં આવેલ નિયંત્રણોના સ્થાને પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારશ્રી દ્વારા ૩૬ શહેરોમાં લાગુ કરવામાં આવેલ રાત્રિ કર્ફ્યુની અવધિ તા. ૦૪.૦૬.૨૦૨૧ના રાત્રિના ૦૯.૦૦ કલાકથી તા.૧૧.૦૬.૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક સુધી લંબાવવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુસર, લોકોના સ્વાસ્થય, સુરક્ષા અને જાહેર જનતાના હિતમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૩૭(૪) અન્વયે, પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈ ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૦૨/૦૬/૨૦૨૧ ના હુકમ ક્ર્માંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-A થી બહાર પાડવામાં આવેલ આમુખમાં જણાવ્યા મુજબના હુકમ અન્વયે કેટલાંક વિશેષ પગલાં લેવાં આવશ્યક હોઈ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ફરમાવવામાં આવ્યું છે કે, તા. ૦૪.૦૬.૨૦૨૧ ના રાત્રિના ૦૯.૦૦ કલાકથી તા. ૧૧.૦૬.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાક સુધી સમગ્ર પાટણ શહેર અને સમગ્ર રાધનપુર શહેરમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.

રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.

  1. બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
  2. મુસાફરોને રેલ્વે, એરપોર્ટ, ST કે સીટી બસની ટીકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
  3. રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહીં.
  4. આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/ અધિકારીઓ/ કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
  5. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોકટરનું પ્રીસ્કીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
  6. અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી / કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
  7. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

નિયંત્રણો:

રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેવા પાટણ શહેર અને રાધનપુર શહેરમાં તા. ૦૪.૦૬.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાકથી તા.૧૧.૦૬.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા દરમ્યાન નીચે મુજબના નિયંત્રણો અમલમાં મુકવામાં આવે છે.
A. તમામ દુકાનો, વાણિજિયક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારના ૦૯.૦૦ કલાકથી બપોરના ૦૬.૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે.
B. રેસ્ટોરેન્ટસ સવારના ૦૯.૦૦ કલાકથી રાત્રિના ૦૯.૦૦ કલાક સુધી Take Away ની સુવિધા ચાલુ રાખી શકાશે.
C. રેસ્ટોરેન્ટસ સવારના ૦૯.૦૦ કલાકથી રાત્રિના ૧૦.૦૦ કલાક સુધી Home delivery ની સુવિધા ચાલુ રાખી શકાશે.
D. અઠવાડિક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઈન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટરપાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, જીમ, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે.
E. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે.
F. અંતિમક્રિયા/ દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
G. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લીંયરીંગ હાઉસ, એ.ટી.એમ / સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્વિત કરવાની રહેશે.આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહીં.
H. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/ મેળાવડાઓ સદંતર બંધ રહેશે.
I. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ/ સ્પોર્ટસ સ્ટેડીયમ/ સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુઅ રાખી શકાશે.
J. તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા/ વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/ પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
K. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઈપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે.
1) COVID-19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક / તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.(ચશ્માની દુકાન સહિત)
3) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
4) ડેરી, દૂધ- શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
5) શાકભાજી માર્કેટ તથા ફ્રુટ માર્કેટ ચાલુ રહેશે.
6) કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઈન તમામ સેવાઓ.
7) અનાજ તથા મસાલા દળવાની ધંટી.
8) ધરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/રેસ્ટોરેન્ટમાંથી Take away facillity આપતી સેવાઓ.
9) ઈન્ટરનેટ/ ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઈ.ટી. અને આઈ.ટી. સંબંધિત સેવાઓ.
10) પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
11) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ.
12) પોસ્ટ અને કુરીયર સર્વિસ.
13) ખાનગી સિક્યુરીટી સેવા.
14) પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
15) કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
16) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
17) આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
18) તમામ પ્રકારના ઉત્પાદન, ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
19) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઈ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામું પાટણ શહેર અને રાધનપુર શહેરના સમગ્ર વિસ્તારમાં તા. ૦૪.૦૬.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાકથી તા. ૧૧.૦૬.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાક સુધી લાગુ પડશે.

આ જાહેરનામાની જોગવાઈઓ/ કેન્દ્ર-રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંધન કરનાર વ્યક્તિ The EPIDEMIC DISEASES Act 1897, THE GUJARAT EPIDEMIC DISEASES COVID – 19 REGULATION, 2020 ની જોગવાઈઓ, ભારતીય દંડ સંહિતા,૧૮૬૦ ની કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures