lock downફાઈલ તસવીર

આવશ્યક સેવાઓની દુકાનો, પેટ્રોલ પંપ તથા દવાની દુકાનો સહિતની દુકાનો ખુલ્લી
રાખવા તથા કરફ્યુ અંગે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં સુધારો

  • રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકડાઉન સંદર્ભે આર્થિક પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા તથા લોકોની આજીવિકાને સુદ્રઢ કરવા તથા આ દરમિયાન સ્વચ્છતા અને આરોગ્ય સબંધી બાબતોની જાળવણીના હેતુસર માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે.
  • જે ધ્યાને લેતાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા તા.૧૯/૦૫/૨૦૨૦ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં વિવિધ સુધારા તથા નવી સુચનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.
  • જે મુજબ આંતર જિલ્લા આવન-જાવન માટે કોઈ જ પાસ કે મંજુરીની આવશ્યકતા રહેશે નહીં.
  • આંતર રાજ્ય તથા રાજ્યની સરહદ પરથી આવન-જાવન માટે પાસ કે મંજુરી અગાઉની સુચનાઓ અનુસાર મેળવવાની રહેશે.
  • જો કોઈપણ વ્યક્તિ COVID-19ના લક્ષણો ધરાવતી જણાશે તો તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલાઈઝ કરવામાં આવશે તથા આગળ મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
  • કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ ૦૮.૦૦ કલાકથી ૧૫.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. જ્યારે કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ દુકાનો ૦૮.૦૦ કલાકથી ૧૬.૦૦ સુધી જ ચાલુ રાખી શકાશે.
  • ઉદ્યોગો તથા પેટ્રોલ પંપ સવારે ૦૮.૦૦ કલાકથી ૧૮.૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.
  • તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી, દવાની દુકાન કોઈપણ બાધ વગર ખુલ્લી રહેશે.
  • રાત્રીના ૦૭.૦૦ કલાકથી સવારના ૦૭.૦૦ કલાક સુધી કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યો છે.
  • આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલાની મુવમેન્ટ માટે કર્ફ્યુ પાસ જે-તે સબંધિત કચેરીના વડા કે ઈન્સિડેન્ટ કમાન્ડર દ્વારા ઈસ્યુ કરવામાં આવશે.
  • આર્થિક પ્રવૃત્તિ સંદર્ભે રાજ્ય સરકારની માર્ગદર્શિકા અન્વયે પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબની તમામ છુટછાટો યથાવત રહેશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024