Rajasthan

Rajasthan

રાજસ્થાન (Rajasthan) માં શિક્ષક ભરતી લઇને સતત ચોથે દિવસે હિંસક પ્રદર્શન શરુ છે. પ્રદર્શનકારીઓએ ઉદયપુરના ખેરવાડાના પહાડો ઉપર કબ્જો કરી લીધો છે. પ્રદર્શનકારીઓએ જાહેર સંપતિઓને નુકસાન પહોંચાડ્યું છે. ખેરવાડામાં થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે.

રાજસ્થાન પોલીસ સ્થિતિને નિયંત્રણ કરવાના સતત પ્રયત્ન કરી રહી છે. અધિકારીઓ આદિવાસીઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બધા વચ્ચે રાજસ્થાન સરકારે કેન્દ્ર સરકાર પાસેથી રેપિડ એક્શન ફોર્સની માંગ કરી છે. ગુરુવારે શિક્ષકોની ભરતી પરીક્ષા 2018ના ઉમેદવારોએ ઉદયપુર-અમદાવાદ હાઇવેને જામ કર્યો હતો. પોલિસ ઉપર પથ્થરમારો, સપંતિઓને પણ નુકસાન પહોંચાડ્યું. ત્યારબાદ આ વિસ્તારમાં હિંસા ભડકી ઉઠી હતી. અત્યાર સુધીમાં પ્રદર્શનકારીઓએ અનેક હોટેલોમાં આગ લગાવી છે અને દુકાનોમાં લૂટફાટ પણ કરી છે.

આ પણ જુઓ : ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ, અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે શાંતિપૂર્ણ પ્રદર્શનની અપીલ કરી છે. ડૂંગરપુર જિલ્લામાં સ્થિતિ અત્યારે પણ તણાવપૂર્ણ છે. અત્યાર સુધીમાં પોલીસે 3300 લોકો સામે ફરિયાદ નોંધી છે. પોલીસે 34 લોકોની ધરપકડ કરી છે. માત્ર બે દિવસની અંદર જ પ્રદર્શનકારીઓએ કરોડોની સંપતિને નુકસાન પહોંચાડ્યું છે. સંપતિની તોડફોડ, આગજની, હાઇવે ચક્કાજામ વગેરે આરોપ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024