પાટણ શહેરના સોનીવાડામાં આવેલ તાત્કાલીક હનુમાનદાદાના મંદિરમાં ગત રોજ અલૌકીક વાતાવરણમાં દાદાની પલ્લી ભરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ રોડ પર બેસી એક જ પંગતમાં પ્રસાદનો લાભ લીધો હતો.
તાત્કાલીક હનુમાનદાદાની પલ્લી છેલ્લા ૬પ વર્ષથી ભરવામાં આવે છે. તો સોનીવાડાના તાત્કાલિક હનુમાન દાદાના નવીન જીણોધ્ધાર કરાયેલા મંદિરમાં બિરાજમાન દાદાને આરટીપીસીઆર ફૂલોની સુંદર આંગી કરવામાં આવી હતી જેનો મોટીસંખ્યામાં ભાવિક ભકતોએ પલ્લીના દર્શન કરી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વર્ષોની આ પરંપરા મુજબ આ વર્ષે પણ દાદાની રોટલી, ખીચડો, પુરી વડા જેવી અલગ-અલગ ચીજવસ્તુઓ સાથે પલ્લી ભરવામાં આવી હતી. મંદિર પરીસરમાં પલ્લી ભરાયા બાદ તેને મહોલ્લા-પોળમાં ફેરવવામાં આવે છે જેનો દર્શનાર્થીઓ શ્રધ્ધાપુર્વક લાભ લે છે.
પલ્લી બાદ દાદાની આરતી ઉતારવામાં આવે છે. અને તે પછી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આ પલ્લીની વિશેષતા એ છે કે, મંદિર પરીસરની આજુબાજુના મહોલ્લા-પોળોમાં રહેતાં લોકો સ્થળાંતર કરી ગમે તે શહેર કે ગામમાં વસવાટ કર્યો હોય પરંતુ, પલ્લીના દીવસે અચુક હાજરી આપે છે. અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.