શહેરના રોકડીયાગેટ ખાતે હનુમાનદાદાનું પ્રાચીન મંદિર આવેલું છે. જયાં આસોસુદ ચૌદસના દિવસે દાદાની પલ્લી ભરાય છે. પરંપરા અનુસાર આ વર્ષે પણ પલ્લી ભરવામાં આવી હતી.
જેને મંદિર પરીસર ખાતે સાત ફેરા ફરાવ્યા બાદ શહેરમાં દર્શનાર્થ કાઢવામાં આવી હતી. શહેરીજનોએ મોટી સંખ્યામાં પલ્લી ના દર્શન કરી પોતાની જાતને અહોભાગ્ય માની હતી. પલ્લીના દિવસે સમગ્ર મંદિરને લાઈટ ડેકોરેશનથી ઝળહળતું કરવામાં આવ્યું હતું.