Panchmahal
પંચમહાલ (Panchmahal) માં ગઇકાલે રાતે ભારે વરસાદ પડ્યો હતો. તથા જાંબુઘોડામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વરસાદને પગલે જાંબુઘોડાના કણજીપાણી ગામમાં એક કાચુ મકાન ધરાશાયી થયું છે. જેમાં એક જ પરિવારનાં પિતા, પુત્ર અને દાદીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવાનનો બચાવ થયો છે. આ ઘટનાને કારણે આખા પંથકમાં માતમ છવાઇ ગયો છે. જો કે, આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
![Panchmahal](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/08/Panchmahal-2.jpg?w=640&ssl=1)
રવિવારે પંચમહાલ (Panchmahal) જિલ્લાના જાંબુઘોડામાં 4 ઇંચ, હાલોલમાં 3.5 ઇંચ, મોરવા હડફમાં 2.5 ઇંચ, વરસાદ થયો હતો. તથા ઘોઘંબામાં 2.5 ઇંચ, ગોધરામાં દોઢ ઇંચ, શહેરમાં એક ઇંચ અને કાલોલમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.
![Panchmahal](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/08/Panchmahal-3.jpg?w=640&ssl=1)
પંચમહાલ (Panchmahal) જિલ્લામાં જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામમાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 4 સભ્ય દટાયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો તૂટેલા ઘર તરફ દોડી ગયા હતા. તેમજ ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. જોકે કાટમાળમાંથી 70 વર્ષીય વૃદ્ધા, 40 વર્ષીય પુરૂષ અને 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે સદનસીબે પરિવારના એક યુવાનને સામાન્ય ઇજાઓ પહોંચી છે પરંતુ તે સલામત છે.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો કણજીપાણી ગામમાં પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow