આત્મહત્યાનો પ્રયાસ કરનાર ચંદ્રસિંહ ઠાકોરનું અમદાવાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ.

તમને જણાવી દઈએ કે પાટણમાં ઘર આગળ દિવાલ મુદ્દે ચંદ્રસિંહ ઠાકોર નામના યુવકે અગ્નિસ્નાન કરી લીધું હતું જેમની તબિયત વધારે બગડતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્ય થયું હતું.

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાટણ (Patan) બજારમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પાટણના યુવકના રહેણાંક મકાનના રસ્તા બાબતે ફરિયાદને લઇ ઉકેલ ન આવતા તેને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે પાટણમાં બગેશ્વર મહાદેવ પાછળના રસ્તાને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઈને યુવકે પોતાની જાત પર કેરોસીન છાંટી આગ ચાંપી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

આગ ચાંપી યુવક પાટણ બજારમાં સળગતી હાલતમાં જ દોડ્યો હતો.

આ પણ જુઓ : અમદાવાદમાં પાર્ક કરાયેલી ખાનગી બસો આગમાં બળીને ખાખ થઈ

પાટણના બજારમાં જ્યારે સળગતી હાલતમાં યુવકને દોડતો જોઇ લોકોએ હિંમત કરીને આગને કાબૂમાં લઈ શકાય તેવી વસ્તુ હાથમાં લઇને યુવકની પાછળ દોડ્યા હતા અને આગ ઓલવી હતી. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024