પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મંદિરોમાં ચોરી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.
સાંતલપુરના કોરડા અને જારુસા ગામે મંદિરમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. તો આ મંદિરોમાંથી કુલ ૭૦ હજારનો મુદામાલ ચોરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.
વારાહી પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોનું પગેરુ શોધવાની તજવીજ હાથ ધરી છે. તો વારંવાર બનતી મંદિર ચોરીની ઘટનાથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે.
આમ, સાંતલપુર તાલુકામાં મંદિર ચોરીઓ કરી તસ્કરો પોલીસને ચેલેન્જ કરી રહી હોય તેવુ પણ જોવા મળી રહયું છે અને સાંતલપુર તાલુકામાં વારંવાર મંદિરોમાં ચોરીઓ થતાં મંદિરો પણ સુરક્ષિાત જોવા મળી રહયા નથી.