દશેરા એટલે કે વિજયા દસમી તહેવાર નિમિત્તે શાસ્ત્રો વિધિ પ્રમાણે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે જેમાં દર વર્ષની જેમ ૧ર ગામ જાગીરદાર પરમાર દરબાર વામૈયા સમાજ દ્વારા દેથળી ગામે વટેશ્વર મહાદેવ મંદિર ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં બાર ગામ સમાજના હજારો યુવાનો રંગબેરંગી પાઘડી અને તલવાર જેવા શસ્ત્રો સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શસ્ત્ર ની પૂજા ધાર્મિક વિધિ પ્રમાણે કરવામાં આવી હતી આ સાથે આધુનિક યુગની સાથે કદમ મિલાવી શકાય તે હેતુથી આ કાર્યક્રમમાં શિક્ષણને મહત્વ આપતા શસ્ત્રોની સાથે કલમની પણ પૂજા વિધિ કરવામાં આવી હતી

અને છેલ્લે શસ્ત્રોની પૂજા વિધિ બાદ વટેશ્વર મહાદેવ મંદિર દેથળીથી હિશોર ધામે હરસિદ્ઘ માતાના મંદિરે ખૂબ મોટી સંખ્યામાં બાઈક અને ગાડી ઓ સાથેની રેલી દ્વારા માતાજીના મંદિરે પહોંચ્યા હતા

ત્યાં માતાજીના મંદિરે મહા આરતી કરી માતાજીના દર્શન કરી આશીર્વાદ લઇ આ કાર્યક્રમની પૂર્ણહૂતી કરવામાં આવી હતી આમ આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના યુવા આગેવાનો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024