અસત્ય ઉપર સત્યનો વિજયનું પર્વ એટલે વિજયાદશમી આજે સમગ્ર દેશભરમાં વિજયાદશમી દશેરાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ત્યારે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની આગેવાની હેઠળ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શસ્ત્રોનું પૂજન-અર્ચન કરી વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી હતી.

પરંપરાગત દશેરાના દિવસે ક્ષત્રિયો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે આજે શસ્ત્રપૂજન થરાદ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024