એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાની સાથે જ પાટણ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટેની બૂમરાડો ઉઠવા પામી છે. ત્યારે સરકાર દ્વારા આયોજિત નલ સે જલ યોજના અંતર્ગત સરસ્વતી તાલુકાનું ભુતિયાવાસણા ગામ સો એ સો ટકા નલ સે જલ યોજના પરિપૂર્ણ કરી સમગ્ર જિલ્લામાં પૂરતા પ્રમાણમાં પાણી આપતું એક માત્ર ગામ બન્યું હોવાનું ભુતિયાવાસણા ગ્રામ પંચાયતના યુવા સરપંચ પ્રવીણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
સરસ્વતી તાલુકાના ભૂતીયાવાસણા ગામે નલ સે જલ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ ચૌધરી સહિતના સદસ્યો દ્વારા ઘરે ઘરે પાઈપલાઈન પહોંચાડી નળ કનેકશનો આપવાની સાથે સાથે ગામની આંગણવાડી, શાળા અને હવાડા જેવાં જાહેર સ્થળો ઉપર પણ નળ કનેકશન આપી સમગ્ર ગામમાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી આપી પાટણ જિલ્લાનું સૌ પ્રથમ નલ સે જલ યોજના પરિપૂર્ણ કરતું ગામ બન્યું હોવાનું ગૌરવ ભુતીયાવાસણા ગામે પ્રાપ્ત કર્યું હોવાનું ગામના સરપંચ પ્રવિણભાઇ જેસંગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- Gerçekten Para Kazandıran Oyunlar 2022
- Mostbet Site İncelemesi, Mostbet Güncel Giriş Adresi
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત