ડીસા-પાટણ હાઈવે પર દાંતીવાડા કેનાલમાંથી મકાઈ બિયારણના કટ્ટા મળી આવ્યા ઉઠ્યા અનેક સવાલ.
Banaskantha : બનાસકાંઠામાં ડીસા-પાટણ હાઈવે પર આવેલી દાંતીવાડા કેનાલમાંથી કેન્દ્ર સરકારની સબસીડી યુક્ત મકાઈના બિયારણની 20 જેટલી બોરીઓ મળી આવી આવી છે. કેનાલમાં બિનવારસી હાલતમાં બિયારણની બોરીઓ જોતા જ આજુબાજુના ખેડૂતો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોરીઓ બહાર નીકાળી હતી.
ડીસા (Deesa) પાટણ હાઈવે પર આસેડા ગામ પાસેથી નર્મદા જળાશય યોજનાની કેનાલ પસાર થાય છે. જ્યાં આજે બપોરના સમયે અનાજ ભરેલા કટ્ટા તણાઈ આવતા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આજુબાજુના ખેડૂતો તરત જ કેનાલ પાસે પહોંચ્યા હતા અને તપાસ કરતા મકાઈનું બિયારણ ભરેલા કટ્ટા હોવાનું જણાયું હતું. જેથી ખેડૂતોએ કેનાલમાં ઉતરી 20 જેટલી મકાઈના બિયારણના કટ્ટા બહાર કાઢી હતી.
કટ્ટા બહાર કાઢી તપાસ કરતા તેના પર રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડ લખેલું હોવાનું જણાયું હતું. તેમજ કટ્ટા બહાર કાઢી તપાસ કરતા કેન્દ્ર સરકારની સબસીડી યુક્ત બિયારણ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે અધિકારીઓએ કે સંચાલકોએ આ બિયારણ કેમ ફેંક્યું અને કઈ રીતે આ બિયારણ નહેરમાં આવ્યું તે અંગે કોઈ માહિતી મળી શકી નથી.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ