પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તત્કાલીન ડીપીઈઆે બાબુભાઈ ચૌધરીના કાર્યકાળમાં થયેલ બદલીઆેની તપાસમાં ચોંકાવનારી વિગતો મળી છે . એકસાથે પર શિક્ષકોની બદલીમાં ગેરરીતિ થયેલ હોવાનું માલુમ પડતાં રદ્દ કરવામાં આવી છે. આ બાવન શિક્ષક-શિક્ષિકાઆેને તાત્કાલિક અસરથી જૂની શાળામાં જવા હુકમ કરાયો છે.

બદલી કેમ્પ કે કેમ્પ સિવાય નવી શાળામાં ગયેલા શિક્ષકોને ફરીથી પૂર્વ શાળામાં જવાની નોબત આવી છે. સાથે ગેરરીતિ કરનાર કર્મચારીઆે કે અધિકારીઆેની જવાબદારી નક્કી કરવા સહિતની તપાસ ચાલુ હોવાનું નિયામકે જણાવ્યું હતું .આ પાટણ જિલ્લાના તત્કાલીન ડીપીઈઆે બાબુભાઈ ચૌધરીએ અનેક શિક્ષકોની બદલીને લઈ હુકમો કર્યા હતા .

જેમાં મોટાપાયે કૌભાંડ થયું હોવાની રજૂઆત થતાં છેક ગાંધીનગરથી તપાસ થઈ હતી. જેમાં સરેરાશ ૭ર પૈકી બાવન શિક્ષકોની બદલીમાં ગેરરીતિ થઈ હોવાનું પૂરવાર થયું છે. આથી નિયામકે કુલ પર શિક્ષકોની બદલીનો તત્કાલીન હુકમ રદ્દ કરી આ શિક્ષકોને છૂટા કરવા આદેશ આપ્યો છે. આવી સ્થિતિ માં વિવિધ કારણે બદલી થઈ નવી શાળામાં ગયેલા કુલ પર શિક્ષકોને ફરીથી પોતાની પૂર્વ શાળામાં જવાની સ્થિતિ આવી છે. આ તરફ ગેરરીતિ કરનારાઆેની જવાબદારી શોધી નિયમોનુસાર કાર્યવાહી કરવા સહિતની પ્રક્રિયા ચાલું હોવાનું નિયામક જોશીએ જણાવ્યું હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024