પાટણ: રાધનપુર-વારાહી નેશનલ હાઇવે માર્ગ પર અજાણ્યા વાહને ઈકો ગાડીને ટક્કર મારતા પલટી ગઈ, અકસ્માતમાં ચાલકનું મોત
અંજાર થી અજમેર જઈ રહેલા મુસ્લિમ પરિવારને નડેલ અકસ્માત ની પોલીસે તપાસ હાથ ધરી…
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર અકસ્માતોની પરંપરા યથાવત રહેવા પામી છે ત્યારે બુધવારના રોજ રાધનપુરનાં વારાહી નેશનલ હાઈવે માર્ગ પર થી પસાર થઈ રહેલ ઈકો ગાડી ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ઇકો કાર પલટી ખાઈ જતા ચાલકનું ગંભીર ઈજાઓ ના કારણે મોત નીપજ્યું હતું. અન્ય મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આકસ્માતની મળતી હકીકત મુજબ અંજાર થી અજમેર ઇકો ગાડીમાં જઈ રહેલા મુસ્લિમ પરિવાર ની ઈકો ગાડી બુધવારના રોજ રાધનપુર વારાહી નેશનલ હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ઇકો ગાડીને ટક્કર મારતા ઈકો માર્ગ પર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ઇકો ગાડીના ચાલક અબ્બાસ અલી શેખ નું મોત નીપજ્યું હતું. જ્યારે ઇકો ગાડીમાં બેઠેલા અન્ય મુસ્લિમ પરિવાર ના ઈસમોને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે આવી લાશનું પંચનામુ કરી લાશને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપી અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ