પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં આવેલ કેમેસ્ટ્રી વિભાગમાં પણ પ્રથમ વખત રસાયણ શાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા પાંચ દિવસ માટે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
યુનિવર્સીટીના રસાયણશાસ્ત્ર વિભાગમાં પ્રથમવાર આયોજિત આ ગણેશ મહોત્સવ અંતર્ગત ડિપાર્ટમેન્ટના તમામ વિદ્યાર્થીઓ દ્વારા વાજતે ગાજતે ધામધૂમથી ગણપતીદાદાની માટીની બનાવેલી મૂર્તિ લાવીને અબીલ ગુલાલની છોળો વચ્ચે યુનિવર્સીટીના મેઈન ગેટથી કેમેસ્ટ્રી વિભાગ સુધી ભવ્ય વરઘોડાનું આયોજન કરીને કેમેસ્ટ્રી વિભાગમાં ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું.
અહીં વિદ્યાર્થીઓ દ્વારા બંને ટાઈમ આરતી તેમજ પાંચેય દિવસ અખંડ જ્યોતનું પણ આયોજન કરવામાં આવ્યું છે . પ્રથમ દિવસે વિભાગના અધ્યક્ષ ડો. સંગીતા શર્મા તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડો. કે. કે. પટેલ વિગેરેએ હાજરી આપીને દાદાના દર્શન અને આરતીનો લાભ લીધો હતો.
કોરોના મહામારીમાં રાહત મળતા આ વર્ષે પાટણમાં વિવિધ વિસ્તારોમા ધામધૂમપૂર્વક ગણેશ ચતુર્થીની ઉજવણી સાથે ગણેશ મહોત્સવના આયોજન કરાયા છે.
ગણેશ ચતુર્થી પ્રસંગે વિવિધ ગણેશ મંદિરો ખાતે ભાવિકો દ્વારા ભગવાન ગણેશજીની આરતી પુજા કરવામા આવી હતી. ઓમ નમ: શિવાય બાદ હવે જય ગણેશ…જય ગણેશનો નાદ ગુંજતો થયો છે.