પાટણ તાલુકાના સંખારી ગામે આવેલ ગામ તળાવમાંથી સુજલામ સુફલામની પાણીની પાઈપ લાઈન સંખારી થી જાખાના રોડ ઉપર આવેલ બહુચર માતાજીના મંદિરની પાછળ આવેલ ઝેનોડાના તળાવમાં જતી પાણીની પાઈપ લાઈન છેલ્લા ઘણા વર્ષો થી તુટી ગયેલ હોઈ જેના કારણે ઘણા જાહેર રસ્તાઆેબંધ થઈ જવા પામ્યા છે.
ત્યારે આ બાબતે પાટણ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા અને સંખારી સીટના સદસ્ય સોહન પટેલે આ બાબતે આ વર્ષો જૂની પાણીની પાઈપ લાઈન નવીન નાખવા માં આવે તેવી માંગ સાથે પાટણ જીલ્લા કલેક્ટર તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પાટણ ને લેખિત રજુઆત કરી હતી.
આ બાબતે સોહન પટેલે જણાવ્યું હતું કે ૧પ થી ર૦ વર્ષ પૂર્વેગામના મોટા તળાવમાંથી બહુચર માતાના મંદિર પાછળ જે ઝેનોડામાં જતી સુજલામ-સુફલામ ની પાઇપ લાઇન જતી હતી પરંતુ છેલ્લા થોડાક વર્ષો થી આ પાઈપલાઈન તૂટી જવાના કારણે જાહેર રસ્તો બંધ થઈ ગયો છે.જેને લઇને આ બાબતની રજૂઆત કરવામાં આવી છે આ પાઇપ લાઈન નાખવાથી બંધ થઈ ગયેલા જાહેર રસ્તાઆે ખુલ્લા થવાની આશા વ્યકત કરી હતી.