સિદ્ધપુર શહેરમાં એક હોટલ નજીક આવેલા આનંદમેળામાં ફરવા ગયેલી બે કિશોરીઓ ક્યાંક ગુમ થઇ જતાં તેનાં પરિવારજનો ભારે ઉચાટમાં આવી જતાં તેઓએ શોધખોળ કરવા છતાં તે નહિં મળતાં બંને કિશોરીઓનાં અપહરણ થયા હોવાની આશંકા વ્યક્ત કરતી ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ સિધ્ધપુરમાં રહીમપુરા નવાવાસમાં રહેતી16 વર્ષની દિકરી તથા તેમની અમદાવાદ ખાતે રહેતી બહેનની 16 વર્ષની દિકરી તેમની અન્ય બે બહેનપણીઓ મળી કુલ ચારેય જણા સિધ્ધપુર કાકોશી ચોકડી પાસે એક હોટલની બાજુમાં ચાલતા આનંદમેળો જોવા માટે ગઇ હતી.
ત્યારે એક દિકરીએ તેની માતાને ફોન કરીને કહેલ કે, તે પણ મેળો જોવા આવી છે અને અહીં તેની બે બહેનો મેળામાં દેખાતી નથી. આ પછી બધાએ તેમની શોધખોળ કરી હતી, પરંતુ મળી નહોતી. તેમની સાથે ગયેલી અન્ય બે બહેનપણીઓને આ બંને દિકરીઓ અંગે પૂછતાં તેમણે કહેલ કે, આ બંને દિકરીઓ અમે બહાર નાસ્તાના પેકેટ લેવા જઇએ છીએ તેમ કહીને આનંદ મેળામાંથી નિકળી ગઇ હતી. આ બંને દિકરીઓમાં ગુમ થવા અંગે તેમની માતાએ તેમનું અપહરણ થયા હોવાની આશંકા વ્યક્ત કરતી ને બે વ્યક્તિ સામે ફરીયાદ નોંધાવી હતી.