ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રાને લઈને મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક પૂજાવિધિઓ સહિત રથયાત્રાની તડામાર તૈયારીઓ ટ્રસ્ટીગણ સહિત પૂજારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

રથયાત્રાને લઈને આજરોજ ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે નૌકા વિહાર મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મનોરથનો મુખ્ય આશય ભગવાન જગન્નાથજી ભારત ભરમાં વસતાં તમામ લોકોની નૌકા ડૂબાય નહીં અને તેઓની નૌકા પાર કરાવે તેવા શુભ આશયથી નૌકા વિહાર મનોરથ કરવામાં આવ્યો હતો.

અને જગન્નાથજી ભગવાનના મંદિર પરિસર ખાતે પ્રથમ વખત કોરોના મહામારીને લઈ શનિવારના રોજ માસ્ક અને સેનેટાઈઝરની આંગી કરવામાં આવનાર હોવાનું મંદિરના પૂજારી કનુભાઈ રાવલે જણાવી ભગવાન જગન્નાથ વહેલી તકે કોરોના મહામારીને દૂર કરે તેવી આશા સાથે આ મનોરથ કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું.

અને વધુમાં જગન્નાથ ભગવાન ભકતોને દર્શન આપવા બહાર નિકળે ત્યારે તમામ ભાવિકભકતોના તમામ દુખો દૂર કરે તેવી પણ આશા વ્યકત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024