પાટણ ના પંચાસરા જૈન મંદિર પાસે આવેલ ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રય માં જૈનાચાર્ય રાષ્ટ્રસંત ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સુરીશ્વરજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ ની પાવન નિશ્રામાં ત્રિસ્તુતિક જૈન સંઘ દ્રારા પાટણ ના ૧૧૦ થી વધુ જૈન મંદિર ના પુજારી અને સફાઈ કર્મચારીઓને તેમજ ઉપાશ્રયના કાજાવાલા બહેનોનું ૬૦૦ રુપિયા સુધીની રાશન સામગ્રી ની કીટનું મોટા પાયે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, ગુજરાત ભાજપ ના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પ્રભારી મોહનભાઈ પટેલ, જિલ્લા પંચાયત ના વિપક્ષ નેતા અશ્વીનભાઈ પટેલ, નગર પાલિકા પૂર્વ પ્રમુખ દેવજીભાઈ, સિધ્ધપુર પોલીસ ઇન્સ્પેક્ટરચિરાગ ગોસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહીને મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજનાં દર્શન વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કરીને જરુરીયાતમંદ લોકોને કીટનું વિતરણ કયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024