આદ્યશકિત આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની રંગત જામી છે ત્યારે પાટણ શહેરના દરેક મહોલ્લા-પોળો અને સોસાયટીમાં ખેલૈયાઓ માં અંબેની આરાધના ખેલૈયાઓે ગરબે ઘુમીને કરી રહયા છે

ત્યારે પાટણ શહેરના પદમનાભ ચોકડી પાસે આવેલી યશકુટીર સોસાયટી ખાતે પણ છેલ્લા ચાર વર્ષથી આદ્યશકિત આરાધનાના પવિત્ર પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે

ત્યારે ચાલુસાલે પણ નવરાત્રી પર્વની યશકુટીરના કોમન પ્લોટ ખાતે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે યશકુટીર સોસાયટીના કોમન પ્લોટ ખાતે મા અંબેના ફોટાની સ્થાપના કર્યા બાદ નવરાત્રી મહોત્સવની શરુઆત કરવામાં આવી હતી ત્યારે રોજ મા અંબાની આરતી ઉતાર્યાં બાદ નવલા નોરતાની શરુઆત કરવામાં આવે છે

ત્યારે યશકુટીર સોસાયટીના રહીશો દ્વારા વિવિધ ટ્રેડીશનલ ડ્રેસ સાથે વિવિધ સ્ટેપ અને સ્ટાઈલો સાથે ગરબે ઘુમી આદ્યશકિત મા અંબેની આરાધના કરતાં જોવા મળ્યા હતા. તો યશકુટીર સોસાયટીના અબાલ યુવાન-વૃધ્ધ સહિતના સૌ લોકો ગરબે ઘુમી મા અંબેની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.

તો સોસાયટીના તમામ રહીશો કોમન પ્લોટ ખાતે એકત્રિત થઈ નવલા નોરતાની મજાની સાથે આરાધના કરતા પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024