હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવસિટીમાં સર્જાયેલા એમબીબીએસ ઉત્તરવહી કૌભાંડ મામલે મંદ બનેલી તપાસ અને બે-બે વખત મળેલી કારોબારી બેઠકમાં પણ આ કૌભાંડ બાબતે કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં કરીને આ સમગ્ર કૌભાંડને દબાવવાનો પ્રયાસ કરાતો હોવાના આક્ષેપ થયો છે.

જેમાં યુનિવસિટીમાં એમબીબીએસ ઉત્તરવહી કૌભાંડ મામલે એનએસયુઆઇ દ્વારા કુલપતિને આવેદન સાથે ઢીંગલી અર્પણ કરાઈ છે.
ગુરૂવારના રોજ વિદ્યાથી સંગઠન એનએસયુઆઇના પ્રમુખ દાદુસિંગ ઠાકોર સહિતના કાર્યકરો દ્વારા કુલપતિને આવેદનપત્ર અપાયું હતું.

સાથે પ્લાયસ્ટિક ની ઢીંગલી અર્પણ કરી બાળક બુદ્ઘિ ધરાવતા કુલપતિએ પોતાના પદ ઉપર બેસવાનો હક ન હોવાનું જણાવી બે લાખ કરતાં વધુ વિધાર્થીઓને અન્યાય કરાઈ રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વિધાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા યુનિવસિટીના એમબીબીએસ ઉત્તરવહી ગુણ કૌભાંડ મામલે ભીનું સંકેલવાના આક્ષેપો વચ્ચે આ અગાઉ પણ યુનિવસિટી કુલપતિને સાડી, બંગડી અર્પણ કરી તેઓની ચેમ્બરને તાળા બંધી કરી વિરોધ પ્રદષીત કરવામાં આવ્યો હોવાનું એનએસયુઆઈ પ્રમુખ દાદુસિંગ ઠાકોરે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024