હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી વિધાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં ખરી ન ઉતરતાં વિધાર્થી નેતાઓ સહિત જુદી-જુદી વિધાર્થી પાંખ દ્વારા આવેદનપત્રો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં યુનિવર્સીટી વિવાદમાં આવતી હોય છે

ત્યારે એનએસયુઆઈ દ્વારા વિધાર્થીઓના મેરિટ બેઝ પ્રોગ્રેસની માંગને લઈ આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાંચ જિલ્લાના વિધાર્થીઓ યુનિવર્સીટી ખાતે વિરોધમાં જોડાયા હતા.

આમ અંગે અગાઉ રજૂઆતો કરવા છતાં પણ યુનિવર્સીટીના કુલપતિ દ્વારા વિધાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય લેવામાં ન આવતાં વિધાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે વિધાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કર્યા બાદ મોટીસંખ્યામાં વિધાર્થીઓ કુલપતિ સમક્ષા રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા.

તો પી.જી. અને યુ.જી.ની પરીક્ષાાઓમાં મેરીટ બેઝ આપવામાં આવે અને ડી.એમ. એલ.ટી. પરીક્ષાાઓ ઓનલાઈન લેવામાં આવે તેવી કુલપતિ સમક્ષા વિધાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી. આમ, યુનિવર્સીટી દ્વારા વારંવાર નિયમોમાં ફેરફાર કરવામાં આવતાં વિધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024