પાટણ શહેરમાં અષાઢી બીજના શુભ દિને મોડીરાત્રે કડાકા અને વિજળી સાથે પડેલા વરસાદમાં અનેક જૂના અને પડવાના વાંકે ઉભેલા મકાનો ધરાશાયી થવા પામ્યા હતા.
ત્યારે પાટણ શહેરમાં આવેલા તંબોળીપાડામાં એક પડવાના વાંકે ઉભેલુ બંધ મકાન વીજળીના કડાકા પડતાં મકાન ધરાશાયી થઈ જવા પામ્યું હતું. ત્યારે સ્થાનિક રહીશો દવારા આ મકાન જર્જરીત અને ભયજનક હોવાથી તેને ઉતારી લેવા પાટણ નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તેનો કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો.
પરંતુ સદનસીબે મોડીરાત્રે આ મકાન ધરાશાયી થતાં મોટી જાનહાની ટળી હતી. તો આ મકાનની બાજુમાં આવેલા મકાનને નવુ બનાવવાનું મુહર્ત અષાઢી બીજના શુભદિને કરવાનું હોવાથી વીજળીના કડાકા સાથે બાજુનું મકાન ધરાશાયી થતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
આમ પાલિકાની નિષ્કાળજીને લઈ તંબોળીપાડામાં મકાન પડવાથી મોટી જાનહાની ટળી હતી.તો આ જર્જરીત મકાન ધરાશાયી થતાં સ્થાનિક રહીશે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.