વૈશ્વિક કોરોના મહામારીમાં લોકોના ધંધા રોજગાર પડી ભાંગતા આજે તમામ લોકો આર્થિક ભીંસમાં સપડાઈ જવા પામ્યા છે ત્યારે હાલમાં સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષાણની મંજૂરી આપવામાં આવતાં ધંધા રોજગારને લઈ વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને ઓનલાઈન શિક્ષાણ માટે શૈક્ષાણિક સાધન સામગ્રી લાવવા ગરીબ અને જરુરીયાતમંદ વાલીઓને વધારાનો આર્થિક બોઝ સહન કરવાનો વારો આવ્યો છે
ત્યારે પૂર્વ જિલ્લા પ્રમુખ મહિલા સેવાદળ, પૂર્વ મહામંત્રી, પ્રદેશ પ્રમુખ મહિલા સુરક્ષાા ફાઉન્ડેશન અને સામાજીક કાર્યકર્તા એવા હિનાબેન તરુણભાઈ બ્રહમભટ દ્વારા આજરોજ હરીપુરા વિસ્તારમાં અભ્યાસ કરતાં ગરીબ અને જરુરીયાતમંદ બાળકોને પેન્સીલો અને બિસ્કીટનું વિતરણ કરી મહદઅંશે તેઓને મદદરુપ થવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું હીનાબેને જણાવ્યું હતું. તો આ કાર્યક્રમમાં હરીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય બબલદાસ પટેલ અને સામાજીક કાર્યકર તરુણભાઈ બારોટ પણ જોડાયા હતા.