પાટણ શહેરના હાર્દસમા એવા બગવાડા દરવાજા પાસે આવેલા પાલિકા સંચાલિત પશુભવન કોમ્પ્લેક્ષની જર્જરીત દિવાલ અચાનક ધરાશાયી થયા બાદ પાલિકા દવારા તમામ જર્જરીત દિવાલોને તકેદારીના ભાગરુપે ઉતારી લેવામાં આવી હતી

ત્યારબાદ સ્થાનિક વેપારીઓ દવારા પશુભવન કોમ્પ્લેક્ષનું રીનોવેશન પોતાના સ્વખર્ચે કરવા માટેની મંજૂરી માંગતી લેખિત રજૂઆત પાલિકામાં કરાઈ હતી. આમ વેપારીઓના સ્વખર્ચે પશુભવન કોમ્પ્લેક્ષની રિનોવેશન કરવાની લેખિત મંજૂરી માંગતા પાલિકા દવારા પાલિકાની શરતોને આધીન તેઓને પોતાના સ્વખર્ચે કોમ્પ્લેક્ષનું રિનોવેશન કરવાની મંજૂરી આપી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

તો પાલિકાના સંચાલિત વાદી સોસાયટીનું કોમ્પ્લેક્ષ પણ પડવાના વાંકે ઉભો હોઈ તેઓને પોતાના સ્વખર્ચે રિનોવેશન કરવાની મંજૂરી આપવામાં આવશે કે નહીં તે અંગે પુછતાં પાલિકાના ચીફ ઓફિસરે તેઓની લેખિત પોતાના સ્વખર્ચે રીનોવેશન કરવાની માંગણી આવી ન હોવાનું જણાવી જો તેઓ પણ પોતાના સ્વખર્ચે રીનોવેશન કરવા માટેની પાલિકામાં અરજી આપશે તો પાલિકાની શરતોને આધીન તેઓને પણ મંજૂરી આપવા માટેની વિચારણા કરવામાં આવવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024