પાટણ શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાવા પામી છે જેના કારણે માર્ગો પરથી પસાર થતા રાહદારીઆે તેમજ વાહન ચાલકોને અનેક યાતનાઆે ભોગવવી પડી રહી છે.

તો હજુ ચોમાસાની શરૂઆત થઇ નથી ત્યાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે નગરપાલિકા દ્વારા બનાવાયેલા નવીન માર્ગોનું કોઈપણ જાતનું લેવલીગ ન લીધું હોય અને માર્ગો ની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો શહેરીજનોમાં ઉઠવા પામ્યા છે

શહેરના રાજમાર્ગો ઉપર દર વર્ષે ચોમાસાની ઋતુમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવીન રોડ બનાવવામાં આવ્યા હતા પરંતુ આ રોડનું કામ કોઈપણ જાતના નિરીક્ષણ વગર અને લેવલીગ વગરના કરેલ હોવાના કારણે છેલ્લા ચાર દિવસથી પાટણ શહેરમાં પડેલા નજીવા વરસાદના કારણે વરસાદી પાણી ભરાઇ રહેતા શહેરના રાજમહેલ રોડ પર આવેલ પાલિકા બજાર વિસ્તારના રહીશો સહિત માર્ગો પરથી પસાર થતા રાહદારીઆે તેમજ વાહન ચાલકોને મુશ્કેલીઆે ભોગવવાનો વારો આવ્યો છે

તો આ બાબતે આ વિસ્તારના વડીલ હેમચંદ ઠાકોર એ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાની ભ્રષ્ટ વહિવટની નીતિના કારણે દર ચોમાસે આ માર્ગ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા સજર્ાતી રહી છે.

તાજેતરમાં બનાવેલ નવીન રોડનું પણ લેવલીગ કામ કયુઁ ન હોય જેના કારણે હું આ સમસ્યાના ઉદ્ભવ પામી હોય નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જે જે વિસ્તારમાં વરસાદના પાણી ભરાઇ રહે છે તેવા વિસ્તારની મુલાકાત લઇ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024