Electrical Shock
પાટણના સાંતલપુર (Santalpur) તાલુકામાં એક દુકાનદારને કરંટ (Electrical Shock) લાગવાથી મોત નીપજ્યું છે. સાંતલપુરની એક હોટલ પાસે ટાયર પંચરની દૂકાન ધરાવતા ઈલીયાસ અમાનુલ શેખનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે.
આ પણ જુઓ : PM નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ હેક
સોમવારે સવારે હોલ્ડરમાં પ્લગ ભરાવતી વખતે અચાનક કરંટ આવતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ થતા તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલ સારવાર માટે પહોંચતા ર્ડાક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ પણ જુઓ : Rahul Gandhi એ આ 6 કારણો આપતા કહ્યું …
આ અંગે મૃતકના સ્વજને સાંતલપુર પોલીસ મથકે નિવેદન આપતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. તેની તપાસ અધિકારી પી.એસ.આઇ એચ.એસ.જોષીએ હાથ ધરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.