ગુજરાત લાઇબ્રેરી નિયામક

પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત ગુજરાતનાં લાઇબ્રેરી નિયામક પંકજભાઈ ગોસ્વામી દ્વારા લેવામાં આવી.

પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહ રાવ લાઇબ્રેરી માં સતત 133 વર્ષ થી પાટણનાં વાચકોની સેવા કરવામાં આવી રહી છે. સમય પ્રમાણે છેલ્લાં કેટલાક સમયથી વિવિધ પ્રકારનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે અને પાટણનાં નગરજનોને, વિધાર્થીઓ, મહિલાઓ ને લાભ આપવામાં આવી રહ્યો છે.

આ પ્રવૃતિઓની ખાસ નોંધ લઈને આજે બપોરે ગાંધીનગર થી ગુજરાત લાઇબ્રેરી નિયામક પંકજભાઇ ગોસ્વામી દ્વારા લાઇબ્રેરી ની મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ લાઇબ્રેરી ની પ્રવૃતિઓની માહિતી મેળવીને ગુજરાતમાં આવી ઐતિહાસીક ધરોહર અને અન્ય કોમ્પ્યુટર ક્લાસ, રીડિંગ રૂમ, અપ્રાપ્ય પુસ્તકો વગેરે જોઇને લાઇબ્રેરીમાં ચાલતાં કાર્યક્રમોથી આનંદ વ્યક્ત કર્યો હતો.

તેઓએ લાઈબ્રેરી નાં વિકાસ કાર્યોમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાત્રી આપી હતી. આ પ્રસંગે લાઇબ્રેરી તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. લાઇબ્રેરી નાં પ્રમુખ ડૉ. શૈલેષ બી. સોમપુરા, મહાસુખભાઈ મોદી મંત્રી, સુરેશભાઈ દેશમુખ, સુનિલભાઈ પાગેડાર, જીલ્લા પુસ્તકાલય નાં ઝાલા સાહેબ તથા બેન હાજર રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024