શ્રાવણ માસમાં આવતા સોમવારનું વિશેષ મહત્વ હોવાથી દરેક શિવાલયોમાં શ્રાવણના સોમવારે સવિશેષ પૂજા અને વિવિધ આંગીઓ કરવામાં આવતી હોય છે ત્યારે પાટણ શહેરના જલારામ મંદિર ખાતે આવેલા જલેશ્વર મહાદેવના મંદિર ખાતે શ્રાવણના ત્રીજા સોમવારે ૧૧૦૦ કમળની સવિશેષ પૂજા કરવામાં આવી હતી અને તેની સાથે સાથે જલેશ્વર મહાદેવને અન્નકુટ પણ ભરવામાં આવ્યો હતો જેના યજમાનપદે દિલીપભાઈ જોષી પરિવારે લાભ લઈ કમળ પૂજા અને અન્નકુટના દર્શનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

તો સાથે સાથે જલારામ મંદિર ખાતે આવતા શિવભકતોએ પણ ૧૧૦૦ કમળની પૂજાનો અનેરા લ્હાવાની સાથે અન્નકુટના પણ દર્શન કરી શિવમગ્ન બની ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024