પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલ ત્રિપુરેશ્વર મહાદેવના મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે કમળની વિશેષ આંગી કરવામાં આવી હતી.
આ સાથે સાથે ૧૦૮ દિવાની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.પવિત્ર શ્રાવણ માસમાં લોકો શિવના સાનિધ્યમાં જઈને શિવ પુજા કરી ધન્યતા અનુભવતા હોય અને શિવ મંદીરોમાં પણ ભક્તો શિવ ભક્તિ માટે ઉમટે છે.ત્યારે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે સાલવીવાડા વિસ્તારમાં આવેલ ત્રિપૂરેશ્વર મહાદેવના મંદિરે કમળ ની વિશેષ આંગી કરવામાં આવી હતી.
આ સાથે સાથે ૧૦૮ દીવાની ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યમાં મોટી સંખ્યામાં શહેરની વિવિધ સોસાયટીના રહીશો તેમજ સ્થાનિક રહીશો પણ ઉપસ્થિત રહી કમળની આંગી સહિત ૧૦૮ દિવાની ભવ્ય મહાઆરતીના દર્શનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.