પાટણ: રાધનપુરના સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને પોલીસે ઝડપ્યા
પાટણ જિલ્લાના રાધનપુરમાં 20 જૂલાઇના રોજ સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવના મંદિરમાં ચોરીનો બનાવ બનેલ જેમાં અજાણયા ચોર ઇસમોએ મંદિરના અંદર આવેલ રુમમાંથી દરવાજાનો નકુશો તોડી અંદરની તિજોરીનો લોક તોડી તિજોરીમાં મુકેલ ચાંદીના છત્તર તથા રોકડ રકમ મળી કુલ રૂ.૧,૨૭,૨૦૦/- ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.
રાધનપુર પોલીસને બાતમી હતી કે, સિનાડ ગામે લાખણેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરી ફરાર થઇ ગયેલા ઈસમો ધરવડી અતિથિ હોટલ ખાતે આવ્યા છે અને ચોરીનો મુદ્દમાલ વેચવાની ફિરાકમાં છે. જે હકીકતના આધારે પોલીસે 4 ઈસમોને પકડી મુદ્દામાલ ઝડપી મંદિર ચોરીનો ભેદ ઉકેલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓના નામ:-
(૧) વિપુલભાઈ નારખણભાઈ મસાજી ઠાકોર ઉ.વ. ૧૯ રહે-ધરવડી તાઃરાધનપુર
(ર) પ્રકાશભાઇ નાથાભાઇ નેમાભાઇ રાવળ ઉ.વ.રર રહે- સવપુરા તા.કાંકરેજ
(૩) લેંબાભાઇ તેજાભાઇ સામજીભાઇ ઠાકોર ઉ.વ.રર રહે-સુલ્તાનપુરા તા.રાધનપુર
(૪) ચમનભાઇ સોનાભાઇ ધરમશીભાઇ ઠાકોર ઉ.વ.૩૨ રહે-સુલ્તાનપુરા તા.રાધનપુર
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ
- અમદાવાદમાં દુષ્કર્મ પીડિતાનું અપહરણ કરીને ઘાતકી હત્યા : સુરજ ભુવાજી સહિત 8ની ધરપકડ
- પાટણ ના રાધનપુરમાં વ્યાજખોરોના ત્રાસથી એકનો આપઘાત
- પાટણ શહેરમાં સગા માસાએ જ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ