પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળા પાસે ગટર ઉભરાઈ ને ગંદુ પાણી રેલવે સુધી આવી વરસાદી પાણીની લાઈન મારફતે પાટણના શોભામાં અભિવૃધ્ધિ કરતા એવા આનંદ સરોવર સુધી પહોંચી જવા પામ્યુ છે અને અહીં રેલવે ગરનાળા ની આજુબાજુ ગંદકી થવા પામી છે તેમજ આજુબાજુના વિસ્તારમાં વેપારીઓ વેપાર કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે
દિવાળી નો સમય નજીક હોવા છતાં અહીં વેપારીઓ આ ભૂગર્ભ ગટરની સમસ્યાથી ત્રાહિમામ થઈ ગયા છે અને પોતાનો વેપાર આ ઉભરાતી ગટરના કારણે કરી શકતા નથી તેમાં મોટા પ્રમાણમાં દુર્ગંધ મારે છે જેથી ગ્રાહકો દુકાનમાં આવતા નથી અને આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાં થઈ દુકાન સુધી આવવાનું થતું હોય ગ્રાહક દુકાન સુધી આવતા નથી જેના કારણે વેપારીઓને દિવાળી ટાણે મોટુ નુકશાન ભોગવવાનો વારો પાલિકાના વાંકે આવી રહયો છે. ડેન્ગ્યુ જેવા રોગે માથું ઊંચક્યું હોય ત્યારે આ પરિસ્થિતિમાં મોટા પ્રમાણમાં ડેન્ગ્યુ ના મચ્છર ઉત્પન્ના થવાની સ્થાનિક વેપારીઓ સહિત રહીશો પણ ભીતિ સેવી રહયા છે.
ત્યારે આ અંગે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાકટરના કર્મચારીને મૌખિક પુછતાં તેઓએ રેલવેના ભૂગર્ભ પમ્પીંગની મોટર બળી જવાથી આ સમસ્યા ઉદભવી હોવાનું જણાવ્યું હતું. જોકે દિવાળીના તહેવારો નજીક આવી રહયા છે તેવા સમયે જ પાટણ શહેરના જાહેરમાર્ગોપર ભૂગર્ભના ગંદા પાણી રેલાતાં શહેરીજનોમાં પાલિકાની કામગીરી પ્રત્યે રોષ પણ જોવા મળી રહયો છે અને હાલ ડબલ ઋતુની સાથે ડેન્ગ્યુ જેવા રોગોએ માથુ ઉંચકયુ છે તેવા જ સમયે આ ભૂગર્ભના ગંદા પાણી જાહેરમાર્ગોપર રેલાતાં શહેરીજનો રોગચાળાની ભીતિ પણ સેવી રહયા છે. ત્યારે પાટણ શહેરમાં ટ્રાફિક, ગંદકી બાદ છાશવારે ઉભરાતાં ભૂગર્ભના ગંદા પાણી શહેરીજનો માટે માથાના દુ:ખાવા સમાન બની રહયા છે.
ત્યારે મારુ શહેર સ્વચ્છ, સુંદર અને ગ્રીન શહેરના સૂત્રને સાર્થક કરવા પાલિકા તંત્ર કયારે ટ્રાફિક, ગંદકી અને છાશવારે ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ લાવી સાચા અર્થમાં શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેવા પણ પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહયા છે.
તો પાટણ શહેરમાં છાશવારે તમામ વિસ્તારોમાં ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીની સમસ્યાને લઈ વિરોધ પક્ષના ભરત ભાટીયાએ નગરપાલિકાના ભાજપના આંધળા વહીવટનો આ એક ઉત્તમ નમૂનો હોવાના આક્ષેપો કરી કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાં હતા.