હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી , પાટણ અને રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશન નાગપુરના સહયોગથી પીએચડીના વિદ્યાર્થીઓ માટે સંશોધન ઓરિએન્ટેશન પર એક દિવસીય વર્કશોપ યુનિવર્સીટીના કન્વેસન હોલમાં યોજાયો હતો.

જેમાં વિદ્યાર્થીઓ રિસર્ચમાં કઈ રીતે ઓરિએન્ટે થવું, ગુણવત્તા કેવી રીતે સુધારવી , કેવી રીતે આગળ વધવું જેનું તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપ્યું હતું .૩ સેશનમાં વર્કશોપમાં પ૦૦ છાત્રોએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે યુનિવર્સીટીના કુલપતિ ડો.જે.જે.વોરાએ જણાવ્યું હતું.આ સેમીનારના માધ્યથી વિદ્યાર્થીઓને રિસર્ચમાં કઈ રીતે ઓરિએન્ટે થવુ, તેમજ ગુણવત્તા કેવી રીતે સુધારવી,કેવી રીતે આગળ વધવું સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

જે પી.એચ.ડી ના અભ્યાસમાં વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જીતેન્દ્રભાઈ પરમાર સચિવ ભારતીય શિક્ષણ મંડળ , ગુજરાત , કન્વીનર ડો. ડીએમ પટેલ રજીસ્ટ્રાર કો – ઓર્ડિનેટર ડો.લલિત એસ.પટેલ , ડો.અશ્વીન મોદી હાજર હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024