રાધનપુર ખાતે માર્કેટટયાર્ડની સામે રવિવારે કાર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા રાહદારીને ટક્કર મારતાં તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.પોલીસે અકસ્માત મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રાધનપુર માર્કેટટયાર્ડ માર્ગ પરથી પુરઝડપે આવી રહેલી કારના ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા ગોતરકા ગામના આસારામ મહારાજને અડફેટે લેતાં તેમને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે તેમનું મોત નિપજ્યું હતું.

આ બાબતે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી પંચનામું કરી મૃતકના વાલી વારસોને જાણ કરી હતી. લાશને પીએમ અર્થ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી.

https://youtu.be/EjAgkMsoAvw

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024