પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મસાલી રોડ ઉપર આવેલા નવનિર્માણ વિદ્યા મંદિર રાધનપુરના બાળકો તેમજ સમસ્ત સ્ટાફ દ્વારા માનવ સેવાનું અનોખું કાર્ય કરી સમાજમાં એક સારો દાખલો બેસાડ્યો છે.
સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું ભગીરથ કાર્ય કરી માનવતાની દિવાલમાં માનવતાની મહેક પૂરવા સમગ્ર મસાલી રોડ ઉપર ડોર ટુ ડોર ફરી જુના કપડા લઇ માનવતાની દિવાલ પર મૂક્યાં હતાં.
ગાયત્રી મંદિર ખાતે ઉભી કરાયેલી માનવતાની દિવાલ પર કપડા મૂકતા કેટલાક ગરીબ પરિવાર સુધી કપડાં પહોંચ્યા હતા. જે લોકો દિવાળીનો તહેવાર કપડા સારા ના હોય તે કેવી રીતે ઉજવતા હશે તેને ધ્યાનમાં રાખીને નવનીર્માણ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા ભગીરથ કાર્યને લોકોએ બિરદાવ્યું હતું.