Rajbha gadhvi Lifestyle : ગીરના જંગલમાં ભેંસો-ગાયો અને સિંહ વચ્ચે કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા ગાયક કલાકાર અને કવિ રાજભા ગઢવી પોતાના કાર્યક્રમમાં ગામઠી જીવન શૈલીને લોકસાહિત્ય ઢાળી અનોખી રંગત જમાવે છે. અમરેલીના ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવી એક પણ ચોપડી ભણેલા ન હોવા છતા રાજભા એક ઉમદા કવિની સાથે લોકસાહિત્યકાર પણ છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2023/03/image-62.png?resize=640%2C336&ssl=1)
નાનપણમાં ગીરમાં ભેંસ ચરાવવાની સાથે રેડિયો પર ભજન સાંભળતા રાજભા આજે ગુજરાત સહિત આફ્રિકામાં પણ પોતોની સૂરાવલી રેલાવી ચૂક્યા છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2023/03/image-63.png?resize=640%2C336&ssl=1)
રાજભા ગઢવીએ સાહિત્યમાં પણ ઘણું બધું મોટું નામ કમાવ્યા છે. અને રાજભા ગઢવીએ પોતાની મહેનતના આધારે આ પ્રકારનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ તેઓ પોતાના પરિવાર માટે એક ઘર પણ બનાવ્યું છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2023/03/image-64.png?resize=640%2C336&ssl=1)
ગીરની અંદર મધ્યમાં રહેતા રાજભા ગઢવી બાળપણથી ગામડાની પ્રકૃતિમાં રહેનાર વ્યક્તિ છે અને તેઓ બાળપણથી જ લીલા પાણી કરે છે, અને ગીરના સિંહની વચ્ચે નાનપણથી જ તેઓ રહ્યા છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2023/03/image-65.png?resize=640%2C356&ssl=1)
રાજભા ગઢવી ના મિત્રો બાળપણથી જ લોકસાહિત્યકાર તેમજ શાસ્ત્રીય સંગીતની અંદર ખૂબ જ વધારે રસ હતો અને જ્યારે તેઓ ભેંસ ચડાવવા જતા હતા ત્યારે તે રેડિયો ઉપર ભજન સાંભળતા હતા અને તેમનો જન્મ પરિવારમાં થયો હતો અને ધીરે ધીરે તેમનો વિકાસ થયો હતો તેમ જ રાજભા ગઢવીને સાહિત્યમાં ખૂબ જ વધારે રસ છે