
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વ 2020ની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત ફ્લાવર-શૉ કમ ગાર્ડન એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું.
- રંગીલા રાજકોટવાસીઓએ ફ્લાવર શૉને જબરો પ્રતિસાદ આપ્યો છે.
- ત્રણ દિવસમાંથી ચાલી રહેલા ફ્લાવર શૉમાં કુલ 1,35,326 ટિકિટનું વેચાણ થયું છે.

- 24-01-2020થી રેસકોર્ષ ગાર્ડન ખાતે યોજાયેલા “ફ્લાવર-શૉ કમ ગાર્ડન એક્ઝિબિશન”ને ખૂબ લોકપ્રિય બન્યું છે.
- ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ “ફ્લાવર શો”ની મુલાકાત લીધી હતી.

- મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ટિકિટ કાઉન્ટર પરથી ત્રણ દિવસમાં કુલ 1,35,326 ટિકિટ ઇશ્યૂ કરવામાં આવી હતી.
- પ્રથમ દિવસ તા. ૨૪-૦૧-૨૦૨૦ ના રોજ ૧૨,૯૯૩, બીજા દિવસે તા. ૨૫-૦૧-૨૦૨૦ ના રોજ ૩૮,૪૯૦ અને ત્રીજા દિવસે તા. ૨૬-૦૧-૨૦૨૦ના રોજ ૮૩,૮૪૩ ટિકિટ ઈશ્યૂ કરવામાં આવી હતી.

- લોક લાગણીને માન આપીને “ફ્લાવર શો” આજે તા. ૨૭-૦૧-૨૦૨૦ અને આવતીકાલે તા. ૨૮-૦૧-૨૦૨૦ ના રોજ પણ ચાલુ રહેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

- આ પરથી ઉલ્લેખનીય છે કે અમદાવાદ બાદ રાજકોટમાં પણ ફ્લાવર શૉનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

- અમદાવાદની જેમ રાજકોટમાં પણ ફ્લાવર શૉ માટે ટિકિટ રાખવામાં આવી હતી.
- ટિકિટ માટેની મનપાએ જાહેરાત કરતા જ રાજકારણ ગરમાયું હતું.
- ટિકિટને કારણે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News