ગુજરાતી ફિલ્મના દિગ્ગજ નેતા અને મહાનાયક એવા અરવિંદ ત્રિવેદીનુ (Arvind Trivedi) ગત રાત્રીએ દુખદ અવસાન થતા ઈડર પંથકમાં શોક નુ મોજુ ફરી વળ્યુ છે લોકો તેમના નિવાસ સ્થાને આવીને યાદ કરી રહ્યા છે…
Ramayan’s Ravan, actor Arvind Trivedi, dies of heart attack
ગુજરાતી ફિલ્મના દિગ્ગજ મહાનાયક એવા અરવિંદ ત્રિવેદી નુ નિધન થતા લોકો તેમના ઘર અન્નપુરણા ખાતે આવી દરિશન કરી રહ્યા છે… રામાયણ સિરિયલમાં (Ramayana) જેમણે રાવણનું (Ravan) પાત્ર ભજવ્યું હતું તે હકિકતમાં મોટા રામ ભક્ત છે, તેમણે તેમણે કથાકાર મોરારી બાપુના હસ્તે ઘરમાં રામની મૂર્તિની સ્થાપના કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, ટીવી સીરિયલ ‘રામાયણ’ સૌથી લોકપ્રિય શો છે. આ શો 1987માં ટેલિકાસ્ટ થયો હતો. જેને આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે. રાવણની પ્રખ્યાત ભૂમિકા અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ભજવી હતી. આ પાત્ર ભજવીને તેઓેએ ખુબજ ખ્યાતિ મેળવી હતી. અને ત્યારથી જ તેઓ રામની પુજા કરવા લાગ્યા હતા તો દર રામનવમી એ અહિ જ રામની પુજા કરતા તો રાત્રી દરમિયાન સુંદર કાંડ નુ આયોજન કરવામાં આવતુ અને મોટી સંખ્યામાં લોકો પણ આવતા…

જાણો અરવિંદ ત્રિવેદીના જીવન વિષે
અરવિંદ ત્રિવેદી મૂળ ઈડરના કુકડિયા ગામના હતા કુંકડીયા ગામ ખાતે તેમનુ જુનુ મકાન હાલ પણ હયાત છે તો તેમનો બંગલો તમને ઈડર રોડ પર પણ છે અને વર્ષમાં ૭ થી ૮ વખત અન્નપુર્ણા બંગલો ખાતે આવતા અહિ ૫ થી ૧૦ દિવસ સુધી રહેતા તેમણે તેમના બંગલાની દિવાલ પર શિવ તાંડવ લખાવ્યો છે તો તમામ જગ્યાએ રામ લખેલ છે આ ઉપરાંત પટાંગણમાં જ લંકેશ્વર મહાદેવની પણ સ્થાપના કરેલ છે.. અરવિંદ ત્રિવેદી પૂર્વ સાંસદ પણ રહી ચુક્યા છે તો તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઇ હતી. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મ્સનાં સુપરસ્ટાર હતા. અને અનેક વાર તેઓ ઈડર ખાતે આવતા બંને ભાઈઓ જોડે રામની પુજા કરતા ભાઈના અવસાન બાદ અરવિંદ ત્રિવેદી એકલા પડી ગયા હતા અને આજે તેઓએ પણ દુનિયાને અલવીદા કરી દીધી… અહિ રહેતા લોકો તેમને દાદા કે સાહેબ જ કહેતા અને તેઓ પણ તમામ લોકો દિકરા દિકરી તરીકે રાખતા તો સેવા કાર્યો પણ અરવિંદ ત્રિવેદી કરતા અને અંબાજી જતા પદયાત્રીઓની પણ સેવા કરતા…

આમ તો અરવિંદ ત્રિવેદીએ લગભગ 300થી વધુ ગુજરાતી ફિલ્મો, તથા અનેક નાટકો અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું જેથી તેમને ગુજરાતી ફિલ્મના ભિષ્મ પિતામહ પણ કહેવામાં આવતા હતા અને હવે તેમણે પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને દુનિયાને અલવિદા કહી દીધી પરંતુ લોકોની યાદોમાં તો હંમેશા માટે અમર જ રહેશે…