પાટણ શહેરના મહાદેવ નગર ખાતે આજરોજ ગોગા મહારાજ અને માં જગદંબા ની તસ્વીર ની સ્થાપના કરી ભક્તિમય વાતાવરણ માં વેદ મંત્રોચ્ચાર સાથે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો
જેમાં સોસાયટી ના રહીશો સહિત આજુબાજુ ની ધર્મપ્રેમી જનતા ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી.
મહોત્સવ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભજન સંધ્યા, સંતવાણી તેમજ ભાવિભક્તો માટે ભોજન પ્રસાદ નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.