પાટણ જીલ્લાના સાંતલપુરના હરીજન હાજાભાઈ ડાયાભાઈનું માલિકીનું ખેતર સર્વે નં.૮ર૭ જે ખેતરમાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત રોડ નીકળતાં ખેડૂત વળતર પેટે રુપિયા એક કરોડ તેર લાખ મંજૂર થયા હતા.

સર્વે નં.૮રર ના વેચાણ દસ્તાવેજના આધારે ખોટી રીતે સર્વે નં.૮ર૭ માં ફેરવી વળતરની રકમ રદ કરી હતી. રાધનપુર કોર્ટમાં આ અંગેનો કેસ પણ ચાલે છે તો કલેકટરમાં આ મેટરની અપીલ ચાલી રહી છે તેમ છતાં રાધનપુર પ્રાંત અધિકારી ડી.બી. ટાંકે વળતર રદ કરેલ છે.

સર્વે નં.૮રર ના દસ્તાવેજ વાળા આહીર સવા કાના, જીવણ માદેવ અને પ્રાંત અધિકારી ખોટુ કરેલ તે બહાર નહી આવે ત્યાં સુધી અરજદાર પરિવાર ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ ઉપર અગાઉ પણ બેઠા હતા તેમછતાં તેઓને હજુસુધી ન્યાય નહીં મળતાં આજરોજ ફરીથી પોતાના સહપરિવાર સાથે

પાટણ કલેકટર કચેરીની બહાર આમરણાંત ઉપવાસ પર બેઠા હતા અને જયાં સુધી પ્રાંત અધિકારી અને તેઓના મળતીયાઓનું કૌભાંડ બહાર નહીં આવે ત્યાં સુધી આ આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024