સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામના પરમાર ઈશ્વરભાઈ સાથે દલિત સમાજના ૧૦૦ લોકો વારાહી પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા માટે ગયા હતા પરંતુ તેઓની ફરિયાદ ન નોંધાતા પાટણ એસ.પી.ને આ અંગેની રજૂઆત કરવા માટે આવ્યા હતા જ્યાં ડી.વાય.એસ.પી. જે.ટી. સોનારાની મુલાકત કરી તેમજ સાથે ગયેલ આગેવાનો દ્વારા વારાહી પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ. દ્વારા ફરિયાદ ન લેવાતા તેમજ ગેરવર્તન કરેલ તે બાબતે રજુઆત કરવામાં આવી હતી. ત્યારે તપાસ પછી ગુન્હો બનતો હશે તો ફરિયાદ નોંધવાનું ડીવાયએસપીએ આશ્વાશ્વન આપ્યું હતું.
ઈશ્વરભાઈ પરમાર સાથે નવસર્જન ટ્રસ્ટ ના કાર્યકરો નરેન્દ્રભાઈ પરમાર રતિલાલભાઈ, મોહનભાઇ અને અમૃતભાઈ સાથે સમાજના આગેવાનો સાથે રહી કેશમાં છેલ્લા એક વર્ષ થી અત્યાર સુધી થયેલ કનડગત તથા આજ સુધી કરેલ રજુઆતો સહિત તમામ મુદ્દે લેખિત સાથે નિષ્પક્ષ તપાસ કરી ગુનો નોંધવા રજુઆત કરેલ અને સાંતલપુર પીએસઆઈ વિરૂદ્ઘ કાર્યવાહી કરવા ડીવાયએસપી મારફતે એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.