પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વિધુત બોર્ડ ની બેદરકારી સામે આવી છે. છેલ્લા ર૦ દિવસ થી વીજપોલ તૂટી ગયેલ હોવા છતાં વીજપોલ માંથી લાઈટ પસાર થઈ રહી છે.ત્યારે હાલમાં પવન સાથે વરસાદી વાતાવરણના કારણે વીજ પોલ પડી જવાની સંભાવનાઆે સેવાઈ રહી છે. જો આ ચાલુ વીજપોલ પડશે અને કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ રહેશે? એ પણ સવાલો ઉભા થવા પામ્યો છે.

આ બાબતે સ્થાનિકો દ્વારા વિધુત બોર્ડ ને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે તેમ છતાં વીજકર્મીઆે દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. આમ પાટણ પંથકમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ વિજકર્મીઆેની આળસને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024