Munger
ગઇ કાલે સોમવારે રાત્રે દુર્ગા વિસર્જન દરમિયાન મુંગેર (Munger) માં ગોળીબાર થયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. ગોળીબારની ઘટના પછી ભીડ બેકાબુ બની જશે એવું લાગતાં પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને વિખેર્યા હતા. પરંતુ સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે પોલીસેજ વાતાવરણ બગાડ્યું.
આ ઘટનાની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. ગોળીબાર કોણે કર્યો, શા માટે કર્યો અને ગોળીબાર કરવાનું કારણ શું હતું એની વિગતો હજુ પૂરેપૂરી મળી નહોતી. આવતી કાલે બિહારમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.